22/03/2021
"વિશ્વ જળ દિવસ" નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ.
પાણી ની કિંમત અમને કાઠિયાવાડીઓ ને ખબર છે તેટલી મધ્ય ગુજરાત ના લોકો ને નથી. ખૂબ દુષ્કાળ જેલ્યા છે.. મને યાદ છે હું બાલ્યાવસ્થા માં જ્યારે પાણી નું ટેન્કર આવતું ત્યારે ડોલ લઈને પાણી પ્રાપ્ત કરવા મારી મમ્મી ને સહાય કરતો. અરે એકવાર તો જામનગર માં ટ્રેન થી પાણી આવેલું.
પછી પાણીદાર પાટીદાર એવા કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે જલક્રાંતિ અભિયાન ની શરૂવાત થઈ અને લાખો ની સંખ્યા માં ચેકડેમ, બોરીબંધ, ખેત તલાવડી બન્યા અને પાણી ને જ્યાં પણ રોકી શકાય ત્યાં લોકભાગીદારી થી રોકવામાં આવ્યું..
આમ વર્ષો ની પાણી દરિયામાં વહી જતું રોકવાથી જમીન માં પાણી ઉતર્યું, જલસ્તર ઊંચું આવ્યું.. તો નર્મદા ના જળ પાઇપલાઇન થી ગામડે ગામડે પહોચાડ્યા અને સારી water management વ્યવસ્થા ના લીધે અમારી સ્ત્રિયો ને 5-6 કિલોમીટર સુધી પીવાના પાણી માટે ચાલી ને જવું પડતું તે અટક્યું તો બીજી બાજુ ખેતી ની બે સિઝન આવતા આર્થિક સમૃદ્ધિ પણ આવી.
હિન્દુસ્તાન water crisis zone માં પ્રવેશી ચૂક્યું છે.. ત્યાંરે બે પ્રકાર ની સમસ્યા ઉદભવી છે એક તો પાણી ની તંગી અને બીજી પીવા લાયક પાણી ની તંગી..
વિકસતા દેશો ની સમસ્યા એ હોય છે કે વિકાસ માટે ની ભૂખ તેમને અંડસંડ ઉદ્યોગિકરણ માટે પ્રેરે છે અને ઉદ્યોગો પરિસ્થિતિ નો ગેરલાભ ઉઠાવી હવા, જમીન અને પાણી ત્રણેય ખુબજ પ્રદુષિત કરી મૂકે છે.. આવી પરિસ્થિતિ માં pollution regulators જો ભ્રષ્ટ હોય તો તો પછી કહેવું જ શુ..
નદી કેનાલો માં ફીણ યુક્ત, કલર યુક્ત પાણી ઠેર ઠેર જોવા મળે છે તે શું છે? તો અમુક હરામખોરો તો આવું પ્રદુષિત પાણી સીધું જમીન માજ ઉતારી દે છે જે ત્રાસવાદી કૃત્ય કરતા પણ વધુ ક્રૂર છે..
મારી દ્રષ્ટિએ આવા સફેદ કપડાં માં કાળા કામ કરતા લોકો નો હિન્દુસ્તાન ને પાકિસ્તાન-ચીન કરતા વધારે ખતરો છે. ભૂગર્ભ જલસ્તર પ્રદુષિત થતા તે પાણી નો પીવા માં ઉપયોગ લેવાતા તેમાં રહેલા heavy metals ને લીધે દેશ ના નિર્દોષ નાગરિકો કેન્સર જેવા રોગો થતા પોતાની કુદરતી આયુષ્ય ઓછી કરી મોત ને ભેટી રહ્યા છે..
આજ પ્રદુષિત ભુગર્ભ જળ નો ઉપયોગ ખેતી માં થતા શાક ભાજી, અનાજ અને ફળ બધુજ પ્રદુષિત કરી નાખે છે અને તમારો ખોરાક પણ જહેરી બનાવી દયે છે.
આવા લોકો પર માનવ વધ નો અપરાધ નોંધવો જોઈએ અને સજા મળવી જોઈએ.
અંતે, જુના સમય માં ભવિષ્યવાણી થયેલી કે અનાજ અને પાણી પડીકે બંધાશે.. હાલ તે સમય આવી ગયો છે.. અનાજ અને પાણી બંને કોર્પોરેટો ની ચુંગાલમાં ફસાય ચૂક્યું છે.. ભવિષ્ય ની લડાઈ પાણી માટે ની લડાઈ હશે..
પાણી નો કરકસર યુક્ત ઉપયોગ એજ આજની અનિવાર્યતા નથી પણ પાણી ને પ્રદુષિત કરતા તત્વો સામે સામુહિક જંગ ખેલવો તે હવે પ્રાથમિકતા બનાવવી પડશે.
નદી નાળા માં પ્રદુષિત પાણી ઠલવાતું તમારી જાણમાં આવે તો તુરંત ફોટો પાડી લ્યો, વિડિઓ બનાવી લ્યો અને પ્રદુષણ બોર્ડ સહિતના ને ફરિયાદ સાથે સોશ્યિલ મીડિયા પર લોકો ને જાણકારી આપો.. અને સામુહિક લડત આપો.
પાણી બચાવવા કરતા પણ પાણી ને પ્રદુષિત થતું બચાવવું તે આજના સમયમાં સૌથી અગત્ય નું છે.
તમારું શુ માનવું છે?
Source